6.60 કરોડ વર્ષ પહેલા એક મોટો એસ્ટ્રોયડ એટલે કે ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાયો હતો.
આના કારણે પૃથ્વી પર રહેતા 75 ટકા જીવજંતુ માર્યા ગયા હતા.
હજારો વર્ષ સુધી આકાશમાં ધુમાડાની અસર રહી હતી.
સૂર્યનો પ્રકાશ પણ ધરતી સુધી પહોંચી રહ્યો નહોતો પરંતુ આ ઘટના પહેલા પણ એક ભયાનક ઘટના ઘટી હતી.
જેનાથી સમગ્ર ધરતીના છોડ અને સમુદ્રી જીવ-જંતુ ખતમ થઈ ગયા હતા.
હવે એક્સપર્ટ્સે દાવો કર્યો છે કે આ ઘટના બીજીવાર પણ થઈ શકે છે.
લગભગ 36 કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી પર હાજર છોડ અને સમુદ્રી જીવ-જંતુ ખતમ થઈ ગયા હતા.
ઓઝોન સ્તરમાં ગાબડુ હોવાના કારણે આ ઘટના થઈ હતી.
એક નવા રિસર્ચમાં આ જાણકારી આવી છે જે સાયન્સ એડવાન્સ નામની મેગઝીનમાં પ્રકાશિત થઈ છે.
આ રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 36 કરોડ વર્ષ પહેલા ઓઝોન સ્તરમાં ગાબડુ હોવાના કારણે સ્વચ્છ પાણીની અંદર હાજર જીવન, છોડ, સમુદ્રી જીવજંતુ વગેરે ખતમ થઈ ગયા હતા.
ધરતી પર કેટલાક સ્થળો પર માત્ર આગ જ આગ હતી. ભયાનક ગરમી હતી.
આ રિસર્ચ ત્યારે કરવામાં આવ્યુ જ્યારે વૈજ્ઞાનિકોને કેટલાક પ્રાચીન પથ્થરોના છિદ્રોમાં ખૂબ જ નાના છોડ મળ્યા જ્યારે આ છોડનો અભ્યાસ કરવામાં આવ્યો તો આ ખુલાસો થયો.
જોકે, આમાથી કેટલાક છોડ સહી સલામત હતા પરંતુ બાકી બળીને ખાક થઈ ગયા હતા.
વૈજ્ઞાનિકોએ જ્યારે ખરાબ થયેલા છોડના ડીએનએનો અભ્યાસ કર્યો તો જાણ થઈ કે તે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે બળીને ખાખ થઈ ગયા છે અથવા ખરાબ થઈ ગયા.
જે બાદ વૈજ્ઞાનિકો હેરાન થઈ ગયા.
કેમ કે જે ઓઝોન પડ આપણને સૂર્યની હાનિકારક કિરણોથી બચાવે છે તે એકવખત આટલી મોટી ઘટના કરી ચૂક્યુ છે.
વધુ અભ્યાસ કરવા પર જાણ થઈ કે ઓઝોન સ્તરમાં ગાબડુ હોવાના કારણે જે ગરમી વધી તેનાથી ધરતીની અંદર જ્વાળામુખીની ગતિવિધિઓ વધી ગઈ.
કેટલાક દેશોમાં જ્વાળામુખી ફાટ્યા. ભયાવહ તબાહી મચી હતી. જે બાદ સમગ્ર દુનિયામાં માત્ર તબાહી મચી હતી.
પરંતુ જ્યારે ધરતીનું વાતાવરણ આટલુ ગરમ થયુ ત્યારે શરૂ થયુ આઈસ એજ એટલે હિમયુગ. જેના કારણે દુનિયામાં ફરી જીવન શરૂ થયુ.
ગરમ થઈ રહેલી ધરતી ધીરે-ધીરે ઠંડી થવા લાગી.
હવે વૈજ્ઞાનિકોએ ફરી એકવાર સમજાવ્યુ છે કે જો ફરી ઓઝોન લેયરમાં આવુ ગાબડુ થયુ તો આ 36 કરોડ વર્ષ પ્રાચીન ઘટના પાછી થઈ શકે છે.
ફરી ધરતીને કોઈ બચાવી શકશે નહીં.