આસો સુદ ૧૫, શરદ પૂનમ
31-10-2020,શનિવાર.
વિદ્યાની દેવી,જ્ઞાનની અધિષ્ઠાત્રી, સદ્બુદ્ધિ આપનારી ભગવતી શ્રી સરસ્વતી દેવીની આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ.
▶ શરદ પૂનમ ની રાત્રે જે કોઇપણ ખૂબ શ્રધ્ધાથી સરસ્વતી દેવીની આરાધના કરે છે તેમની ઉપર માં ભગવતીની કૃપા અવશ્ય વરસે છે.
▶ જો ભણવામાં તકલીફ રહેતી હોય,જ્ઞાન ચડતું ના હોય,યાદશક્તિ ઓછી હોય,બોલવામાં તકલીફ પડતી હોય વગેરે
▶ જેમને ખૂબ અભ્યાસ કરવો છે, જ્ઞાનની આરાધના કરીને કંઈક સુંદર પરિણામ મેળવવા હોયતો આ શરદ પૂનમ ની રાત્રે અવશ્ય સરસ્વતી દેવીની આરાધના કરવી.
▶ ૐ હ્રીં સરસ્વત્યૈ નમઃ
અથવા
ૐ હ્રીં નમો નાણસ્સ
અથવા
ૐ હ્રીં સરસ્વતી દેવ્યૈ નમઃ
અથવા
ૐ ऐं નમઃ
ઉપરના કોઇપણ મંત્રની ઓછામાં ઓછી 1 માળા અવશ્ય ગણવી .
1008 વાર એકાગ્રતાથી ગણવાથી સરસ્વતી દેવીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે.
▶ નમુત્થુણં સ્તોત્ર અથવા શક્ર્સ્તવ સ્તોત્ર 9/18/27/36વાર ભાવથી ગણવાથી મનશુદ્ધિ થાય છે.મનના ભાવોની નિર્મળતા વધે છે.શાંતિ,શાતા,સમાધિ મળે છે.
અશુભ કર્મોનો નાશ થાય છે.
▶ શરદપૂનમની ચાંદની ઘણાંબધા રોગોમાંથી મુક્તિ મેળવવા માટે પણ ખૂબ ઉપયોગી છે.
જો તમારા શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, સ્કીન ને લગતા રોગો હોય, આંખો નબળી હોય, તો ચંદ્ર પ્રકાશ શરીર પર આવતો હોય તેમ બેસવાથી કે સુઇ રહેવાથી ખૂબ ફાયદો થાય છે.
▶ પિત્તની તકલીફ રહેતી હોય તો
ખડી સાકર ને ચંદ્ર ઉદયથી બીજા દિવસે સવારે સૂર્યોદય સુધી,
ચંદ્રની ચાંદની આવતી હોય તેવા ખુલ્લામાં ભાગમાં પાતળું સફેદ કાપડ ઢાંકીને મુકી રાખવી અને જ્યારે જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો.
આ સાકર ગરમીના સમયમાં વાપરવાથી અમૃત જેવું ફળ આપે છે.
▶ જો તમારી આંખો નબળી હોય તો શક્ય હોય તેટલા વધારે સમય સુધી એકીટશે ચન્દ્ર ની સામે જોવાથી આંખોની નબળાઈ થી રાહત થાય છે