ગુરુ રામ પાવન ભૂમિ સુરત મધ્યે તપાગચ્છ પ્રવર સમિતિ કન્વીનર પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવસુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્યશ્રી મોક્ષરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન પ્રેરણા તથા નિશ્રામાં નવપદની ઓળીની સુંદર આરાધના અંતર્ગત તારીખ 30-10-2020 ના રોજ સંયમના આસ્વાદ રૂપ ઔષધ વ્રતની આરાધનામાં 70 પોષાર્થીઓઓ જોડાયા તથા 302 ઉપરાંત તપસ્વીઓએ આયંબિલ તપ કરેલ.
આસો માસની સંપૂર્ણ ઑળી તથા પારણાના લાભાર્થી બેણપ નિવાસી માતૃશ્રી ચોથીબેન ધુડાલાલ કાલીદાસભાઈ વોરા પરિવાર હસ્તે અ.સૌ. ચંદ્રિકાબેન વિનોદભાઈ વોરા પરિવાર એ લીધેલ આ પરિવારે જીવદયા તેમજ સાધારણ ક્ષેત્રે સુંદર લાભ લીધેલ
પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી ના ચાતુર્માસ પરિવર્તન ની વિનંતી સંઘવી છગનલાલજી દેવીચંદજી મહેતા સીણધરીવાળા હાલ સોમચિંતામણી, પાલ, સુરત પરિવાર દ્વારા કરાતા પૂજ્યશ્રીએ તેઓને સંમતિ પ્રદાન કરી