૫૦૦ થી વધુ તપસ્વિયો એક જ સંઘમાં વર્ષિતપ કરી રહ્યા છે કેવો સુંદર સંયોગ…
આવા મહાન તપસ્વિયોની સુંદર સેવા શ્રી સંઘ કરી રહ્યો છે ટિફિન સેવા દ્વારા.
શ્રી રાંદેરરોડ જૈન સંઘમાં પરમ કૃપાળુ પરમાત્મા અને પૂ.ગુરુ ભગવંત ના શુભ આશિષ થી આજે ૫૦૦ થી પણ વધુ તપસ્વીઓને સુખ શાતાથી વર્ષીતપની સુંદર આરાધના ચાલી રહી છે……….
આજે વર્ષીતપ ના તપ્સ્વીઑ ને 121 ઉપવાસ નિ આરાધના પુર્ણ કરી છે અને હવે 100 ઉપવાસની આરાધના આજ ની સાથે બાકી છે.
વર્ષીતપના તપસ્વી રત્નો સંઘ ની કમિટી, કાર્યકર્તા નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. સવાર ના સમય મા જયના પુર્વક અને સમયસર દરેક તપસ્વીઓ ને ગરમ ટિફિનની વ્યવસ્થા કરી એક ઉતમ સેવા નુ કાર્ય કર્યુ છે…
.જે ખરેખર ખૂબ જ અનુમોદનિય છે. પણ સાચા અર્થ માં અનુમોદના ના હકદાર જેટલા તપસ્વીઓ છે એટલા જ આ તપ આરાધના કરાવવાની વ્યવસ્થા માં જોડાયેલા દરેક સભ્યો છે……..
અનુમોદના રાંદેર સંઘના પ્રમુખશ્રી અને દરેક કમિટીના સભ્યોની જેમને વર્ષીતપ માટે આટલી સુંદર વ્યવસ્થા ગોઠવી…..
અનુમોદના એ દરેક દાનવીરો ની જેમને વર્ષીતપની આરાધના કરાવવા માટે પોતાનો સુંદર આર્થિક સહયોગ પુરો પાડ્યો……
તપ કરવો જેટલું પુણ્ય નું કામ છે એનાથી પણ વધારે તપ કરાવવો એ પણ પુણ્યનું કામ છે
ખરેખર ખૂબ ખૂબ અનુમોદના ને પાત્ર છે શ્રી રાંદેર રોડ સંઘના કમિટી મેમ્બરો અને કાર્યકર્તાઓ જે આટલા સુંદર ભાવથી વર્ષીતપના દરેક તપસ્વીઓને તપની આરાધના કરાવે છે………..