– મહેસાણા બાયપાસ રપ વર્ષની ગેરંટીવાળો બ્રિજ ટુંકાગાળામાં ધારાશયી ?
એજ કા.ઈ.શ્રીને સરકારે નિવૃતિબાદ પણ બનાસકાંઠા જીલ્લામાં કા.ઈ.પદ આપ્યું.
શું મહેસાણાનું બનાસકાંઠામાં પુનરાવર્તન કરવાનું છે..?
– અંબાજી સરકીટ હાઉસના કામમાં પણ સરકારને વધારાના કામના નામે પણ ચુનો..?
દીઓદરમાં અંદાજીત ૪૦ કરોડ રૂપિયાના ખર્ચે રેલ્વેફાટક ઉપર બની રહેલ ઓવરબ્રિજ પ્રજા માટે આશીર્વાદ રૂપ ભવિષ્યમાં બની રહશે. (તે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મહેસાણા બાયપાસનું પૂનરાવર્તન નહિં કરે તો)
પરંતુ અત્યારે પ્રજા માટે માટે અપાયેલ ડાયવર્ઝન માથાના દુખાવા સમાન બની રહેવા પામેલ છે.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)માં હાલે કાર્યપાલક ઈજનેર તરીકે છેલ્લા બે ત્રણ વખત થી ૧૧-૧૧ માસના કરાર આધારીત અધિકારી સેવા આપી રહ્યા છે.
કાયમી અધિકારી ન હોઈ જાણે કે ભ્રષ્ટાચારને ખુલ્લેઆમ આહવાન અપાઈ રહ્યું છે.
કોન્ટ્રાક્ટરો જાણે કે મનફાવે તેવું કામ કરવા અને પ્રજાને જાણે કે પારાવાર તકલીફો આપવા અને અધિકારીઓના ઘર ભરી આપવાનો જાણે કે પરવાનો અપાયો હોય તેમ પ્રજા મહેસુસ કરી રહી છે.
બની રહેલા ઓવરબ્રિજની ગુણવત્તાના તો જાણે કે ખુલ્લેઆમ લીરા ઉડી રહ્યા છે. જાણે કે માત્ર મકસદ અધિકારી, કોન્ટ્રાકટ્રરોના ઘર ભરવાનો મનસુબો ન મનાવ્યો હોય ..?
બની રહેલા ડાયવર્ઝનમાં અખબારોમાં અહેવાલ બાદ અધિકારીઓ જાગતાં થાગડ-થીગડાં મારી ને અધકચરો રોડ બનાવ્યો ત્યાં નથી કોઈ સુવિદ્યા જેવીકે સ્પીડજંપ કે નથી લગાવાઈ રેડીયમ લાઈટો..
.ત્યાં ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલ પતરાં પણ અડધી જગ્યાએ તુટેલાં છે.
ત્યાંથી પસાર થતા સામાન્ય માનવીની જીંદગી સાથે ખેલ ખેલાઈ રહ્યા છે.
આડેધડ કામ કરતા જે.સી.બી. તેમજ હેવી મશીનો ત્યાંથી પસાર થતા પ્રજાજનો કે વાહનોની કોઈ દરકાર નથી ?
હદ તો ત્યાં છે કે માર્ગ અને મકાન વિભાગના કોઈ જવાબદાર ત્યાં હાજર હોતા નથી.
પ્રજાએ કોન્ટ્રાક્ટરો સાથે બાથોડાં લેવાનાં…?
ત્યાં કામ કરતા મજુરોના સરકારની ગાઈડલાઈનના સતત ધજાગરા ઉડાવી આટલું મોટું કામ કરતા મજુરોને હેલ્મેટ સહ સેફ્ટીની કોઈ સુવિદ્યા પુરી પડાતી નથી.
ગરજના માર્યા મજુરો પણ કોન્ટ્રાક્ટર અધિકારીઓની દાદાગીરી સામે લાચાર બની વગર હેલ્મેટે પણ છેક ઉપર સુધી ચડી જીવના જાેખમે કામો કરવા પડી રહ્યા છે.