સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્દવિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા ના – સમાધિમંદિરના શિલાન્યાસ માગૅ નામકરણ પ્રસંગે બોડકદેવ વોર્ડમાં સીતાવન ફાર્મ થી કાલીબારી મંદિર સુધીના માર્ગને
“જૈનાચાર્ય શ્રી જયઘોષસુરિ માર્ગ”
નામાભિધાન કરવામાં આવ્યું.
આજ તા.07/11/20 ના રોજ ૨૫૦ થી વધુ ગુરુ ભગવંતો તથા સાધ્વીજી મહારાજ ની નિશ્રામાં થયેલ.
આ પ્રસંગે સન્માનનીય શ્રી કુમારપાળભાઈ તથા મા.મેયરશ્રી બીજલબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ શાહ તથા શ્રેષ્ઠીગણ, અમિત ભાઈ શાહ (પૂર્વ મેયર) , રાજુભાઈ ઠાકોર, દેવાંગ દાણી , ગૌતમભાઈ પટેલ તથા સ્થાનિક મ્યુ કાઉન્સિલની હાજરી માં નામકરણ કરવામાં આવ્યું