આગામી શિયાળામાં જરૂરીયાત મંદ પરિવારોને ઠંડીમાં ઉપયોગી થઈ શકે તે માટે ધાબળા તથા મીઠાઈનું પેકેટ આપવા માટેનું આયોજન કરવા માટે આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા હનુમાન મંદિર નવા મુકામે બેઠક યોજાયેલ.
જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ જામાભાઈ પટેલ સેવાકીય પ્રવૃતિ માટેની માહિતી આપેલ. અને સૌએ દાનનો પ્રવાહ વહેડાવવા વિનંતી કરેલ. મંત્રી દીપેશભાઈ શાહે આયોજનની વિસ્તૃત માહિતી આપેલ. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જીલ્લા પંચાયતના સદસ્ય જસીબેન દેસાઈના સુપુત્ર કરમશીભાઈ દેસાઈનું બહુમાન સદસ્ય પરિવારો દ્વારા કરવામાં આવેલ. તેમજ પરિષદ દ્વારા પ્રારંભમાં પાંચ વ્યક્તિઓને ધાબળા તેમજ મીઠાઈનું વિતરણ કરી શુભારંભ કરેલ. આ પ્રસંગે ચેલાભાઈ પટેલ, અજાભાઈ પટેલ, ભારમલભાઈ પટેલ, મહેશ્વરભાઈ ત્રિવેદી, પ્રદીપભાઈ શાહ, શૈલેષભાઈ ઠક્કર તથા સેવા મંડળીના ચેરમેન મલાભાઈ પટેલ, મંત્રી અમરાભાઈ પટેલ તેમજ દુધમંડળીના ચેરમેન અણદાભાઈ પટેલ, મંત્રી જયંતિભાઈ પટેલ સહિત ગ્રામજનો તથા સદસ્યો ઉપસ્થિત રહેલ. આભારવિધિ ખજાનચી મહેશભાઈ ગજ્જરે કરેલ.
DIYODAR BANASKANTHA, BHARAT VIKASH PARISHAD, WINTER,