સરકાર દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” અંતર્ગત બાળકના પુરતા પોષણ માટે બાળ મૃત્યુ ઘટે તે માટે “બાળસખા” યોજના અમલમા મુકવામાં અવી છે. જે અંતર્ગત સરકારે પ્રાઈવેટ કરાર કરેલ બાળરોગ નિષ્ણાત ડોક્ટરોને કરોડો રૂપિયા કરાર દ્વારા ચુકવી રહી છે. ત્યારે દીઓદર પંથકમાં બાળરોગ નિષ્ણાત અને બાળસખા યોજનાના ની લાભાર્થી હોસ્પીટલમાં ગરીબ અને લાચાર લાભાર્થીઓને શોષણ કરી રહી છે.
તેવો કિસ્સો દીઓદર પંથકમાં બનવા પામ્યો છે.
દીઓદર તાલુકાના સોની ગામે રહેતા ભરથરી પરિવારના નાથાભાઈ શાંતિભાઈની તાજી જન્મેલ બાળકી ડોક્ટરની મનસ્વીતાના કારણે બાર-બાર દિવસથી હોસ્પીટલમાં ઝોલા ખાઈ રહી છે. અને તેની માતા અને પરિવાર ઘેર આક્રંદ કરી રહ્યા છે. આજથી ૧ર દિવસે ભરથરી નાથાભાઈની ધર્મપત્નીને ડીલીવરી અર્થે દીઓદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવેલ. દિકરીનો જન્મ થયેલ ડોક્ટરની સલાહ મુજબ દીકરીનું વજન ઓછું જણાતાં શિહોરીમાં બાળસખા યોજનાની કરાર આધારીત હોસ્પીટલમાં દાખલ કરવામાં આવેલ.બાળકી બે-ત્રણ દિવસમાં તંદુરસ્ત થઈ ગઈ છતાં તેના પરિવારને સોંપાતી નથી કારણ છે. બાપને રેશનકાર્ડ નથી. ડોક્ટર દ્વારા કેહવાય છે કે રેશનકાર્ડ લાવો..આ ગરીબ લાચાર પરિવાર પાસે રેશનકાર્ડ નથી રેશનકાર્ડ નવું કઢાવવા માટે આધારકાર્ડની પાવતી છે પણ કાર્ડ નથી.
જેના કારણે ૧ર-૧ર દિવસ થી તેની બાળકી દવાખાનામાં ગોંધાઈ રહી છે.
શું આ ભરથરી પરિવારનું રેશનકાર્ડ ક્યારે નિકળશે..?
ક્યારે તેમની તાજી જન્મેલ દીકરીનું મોં મા જાેઈ શકશે. ?
શું ડોક્ટરો સરકારની યોજનાનો પૂરે પૂરો લાભ ઉઠાવવા ૪૮ દિવસની રાહ જાેવરાવશે કે પછી માનવતા રાખી બાળકીને પરત કરશે..?
PMO INDIA, GUJARAT GOVERNMENT, NARENDRA MODI, VIJAY RUPANI , CM OFFICE GUJARAT