દરેક ગરીબ વ્યક્તિ સુધી સરકાર ની જન કલ્યાણ ની યોજના ઓ ના લાભ પહોંચતા થાય એ ધ્યેય સાથે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. આ નાણાકીય વર્ષ માં જ ૮૪૫૬ જેટલા પ્રધાનમંત્રી જનધન યોજનાના એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. સરકારી યોજના ઓ પારદર્શી રીતે લાગુ કરાઇ રહી છે. લાભાર્થી નાગરિકો ના ખાતામાં યોજના નો નાણાકીય લાભ સીધો જમા કરવામાં આવે છે. આ નાણાકીય વર્ષમાં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકો ને રૂ. ૧૫૦ કરોડની લોન મંજૂર કરાઇ છે. આજ ના કાર્યક્રમ માં ૨૨૫૦૦ લાભાર્થી નાગરિકો માં વિવિધ યોજના ઓ જેવી કે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના, સખી મંડળને લોન, મુદ્વા લોન વગેરે યોજના ઓ અંતર્ગત નાણાકીય સહાય ના ચેક આપવા માં આવ્યા હતા. આઝાદી ના અમૃત્ત મહોત્સવ અંતર્ગત આઇ કોનીક વીક તા. ૬ જુન થી તા. ૧૧ વીક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ માં લીડ બેન્ક મેનેજર સુરેશકુમાર બારીયા, ડેપ્યુટી રીજીયન મેનેજર નવીન ગોખીયા સહિત ના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટ બ્રાન્ચ ના અધિકારી ઓ તેમજ લાભાર્થી નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો