ગુજરાતમાં કોરોના વાયરસ અનસ્ટોપેબલ થતો જાય છે. દિવસે ને દિવસે કેસોમાં ઘટાડાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે જેના કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે. રાજ્યમાં મહિનાઓ બાદ કોરોના વાયરસના સંક્રમણમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં 200થી વધુ કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 228 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયાના કોઈ સમાચાર નથી. કોરોનાની સારવાર બાદ વાયરસને હરાવી રાજ્યમાં 117 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 26 હજાર 940 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10946 લોકોના મોત થયા છે. ગુજરાતમાં નવા કેસ વધવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા 1102 પહોંચી ગઈ છે, જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યનો રિકવરી રેટ 99.02 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસની વિગત અમદાવાદ શહેરમાં 114 કેસ સામે આવ્યા છે. વડોદરામાં 26, સુરતમાં 20, રાજકોટમાં 14, જામનગરમાં 7, સુરત ગ્રામ્યમાં 6, નવસારીમાં 5, ભરૂચમાં 4, ગાંધીનગર જિલ્લામાં 8, વડોદરા ગ્રામ્ય 4, આણંદ 3, મહેસાણા 3, વલસાડ 3, અમદાવાદ ગ્રામ્ય 2, અમરેલી 2, કચ્છમાં 2, મોરબીમાં 2 કેસ સામે આવ્યા છે. તો ભાવનગર, જામનગર, પંચમહાલ, પાટણ અને પોરબંદરમાં એક-એક કેસ નોંધાયો છે.
Trending
- Gujarat Board 10th Result 2024 : આવતીકાલે જાહેર થશે ગુજરાત બોર્ડ 10નું પરિણામ, જલ્દીથી નોંધી લો ચેક કરવા માટે સીધી લિંક
- Jain News: કાંકરેજી જૈન સમાજના રત્નકુક્ષી માતા-પિતા ની કુલપાકજી તીર્થયાત્રા યોજાશે
- Mamata Banerjee : અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મળતા મમતા બેનર્જી ખુશ, કહી દીધું આવું
- Election Commission : ચૂંટણી પંચે કોંગ્રેસ પ્રમુખને આપ્યો જોરદાર જવાબ, મલ્લિકાર્જુન ખડગેને ઠપકો આપ્યો; આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
- IPL Impact Player Rule: BCCIના સેક્રેટરી જય શાહની IPL વચ્ચે મોટી જાહેરાત, શું હવે ઈમ્પૅક્ટ પ્લેયરની થઇ જશે છૂટી ?
- Jain News: કાંકરેજી સમાજ ના મહેતા પરિવારનો નાથપુરાથી મોકલસર યાત્રા પ્રવાસ
- Karnataka : ધો 10 કર્યું સારા માર્ક્સ થી પાસ, રાતે બની એવી ઘટના કે માં – બાપ શોકમાં
- NIA: પ્રવીણ નેતારુ હત્યા કેસમાં NIAને મળી મોટી સફળતા, કરાઈ આ વ્યક્તિની ધરપકડ